Friday, June 17, 2011

ક્યાં સુધી ચાલશે .???

વરસાવ અનરાધાર નીર , વાદ્ળ આજ મન મુકી..
ઉલેચી ઉલેચી ભરેલું નીર ક્યાં સુધી ચાલશે ?….
જીવનના ઝાડ પર લટકી રહ્યું છે ,બસ એક લીલું પાંદડું….
વસંતના ઇંન્તઝારમાં હવે પાનખર ક્યાં સુધી ચાલશે ?……
ઉછળતા મોજાને નથી કહેવું પડતું કે કિનારો ભિંજાવ..
પણ સાગરની ઓટમાં ભરતીની ખોટ ક્યાં સુધી ચાલશે ?….
ઉગતાની સાથે જ ક્યારેય સુરજ  તપતો નથી હોતો…
હવે જીંદગીની સાંજ સવાર પડછાયાની ઉણપ ક્યાં સુધી ચાલશે ?….
પંપાળીને ભલે બે પાંપળો ભેગી કરી દિધી રાતના…
સપનામાં અંધકાર હોય, ઉછીની નીંદર ક્યાં સુધી ચાલશે ?….
જોવાનું બસ એટલું કે કેટલાને હસાવ્યા’ને કેટલું હસ્યા તમે..
મોતના ભણકારા વગર જીંદગીની સફર ક્યાં સુધી ચાલશે ?…
………………….kjp……………………..kusum

1 comment:

  1. bohot hi badiya he kusumji...... i like it...very very nice...........

    ReplyDelete